અમરગઢનું સખીમંડળ દિલ્હી પહોંચ્યું

ઈશ્વરિયા શુક્રવાર તા.19-10-2019
     બહેનોને તાલીમ અને પગભર કરવામાં અમરગઢ સ્થિત શ્રી સૌરાષ્ટ્ર રૂરલ ડેવલપમેન્ટ મંડળ પ્રયત્નશીલ છે. તાજેતરમાં આ સંસ્થાના વડા શ્રી પારૂલબેન દવેના માર્ગદર્શન સાથે શિવાની સખી મંડળ દિલ્હી ખાતે પહોંચ્યું છે. ગ્રામિણ વિકાસ મંત્રાલય - ભારત સરકાર અંતર્ગત સરસ આજિવિકા મેળામાં તા.10થી તા.23 દરમિયાન મોતીકામ વેચાણમાં ભાગ લઈ રહેલ છે.