પર્યાવરણ દિવસ નિમિત્તે શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે વૃક્ષ છોડ પૂજન
ઈશ્વરિયા શનિવાર તા.૦૫-૦૬-૨૦૨૧
શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષ છોડ પૂજન થયું. શ્રી વિશ્વાનંદમાતાજી અને કુમારિકાઓ દ્વારા આશ્રમના વૃક્ષોનું પૂજન કરી વંદના કરવામાં આવી. આશ્રમ દ્વારા ટૂંક સમયમાં વિવિધ વિસ્તારોમાં વૃક્ષરોપણ પણ કરવામાં આવશે.