શિક્ષણમંત્રીપદે સ્થાન મેળવનાર શ્રી જીતુભાઈ વાઘાણીનું વતન નાના સુરકા ગામે સન્માન
02 June, 2026
ઈશ્વરિયા સોમવાર તા. 08-11-2021
ગુજરાત સરકારમાં તાજેતરમાં મંત્રીમંડળમાં શિક્ષણમંત્રી તરીકે મોખરાનું પદ મેળવતા શ્રી જીતુભાઈ વાઘાણીનું તેમના વતન નાના સુરકા ગામે ગ્રામજનો અને અન્ય મહાનુભાવો દ્વારા ઉમળકાભેર સન્માન અભિવાદન કરાયું. ગ્રામજનો દ્વારા પરંપરાગત શણગારેલા બળદગાડામાં બેસાડી હરખભેર સામૈયું કર્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ રાજકીય પક્ષોના અગ્રણીઓ જોડાયા હતા.