નેસડા ગામે સત્સંગ કાર્યક્રમ યોજાયો
02 June, 2026
ભાવનગર રવિવાર તા.06-12-2020
નેસડા ગામે હરિ:ઓમ વૃદ્ધાશ્રમમાં નિજાનંદ પરિવાર ભાવનગર દ્વારા 'ચાલો સત્સંગમાં' કાર્યક્રમ યોજાઈ ગયો. જે.ડી. કીરાના શિહોરના વિશેષ સહયોગથી આ સત્સંગ કાર્યક્રમનું આયોજન કરાયું,જેમાં શ્રી ભોળાનાથજી મહારાજ વરતેજ તથા ભજનિક શ્રી બળદેવજી દૂધરેજીયાં દ્વારા શ્રોતાઓને ભક્તિ રસમાં રંગી દીધા હતા.